પ્રાકૃતિક ખેતી ભાગ 1 આચાર્ય દેવવ્રત

             ખેતી હોય કે પછી સજીવ , બધી પદ્ધતિમાં ખેડૂતના ખીસ્સામાંથી જ રૂપિયા જાય છે . બિયારણ ખરીદવાથી લઇને ખાતર સુધી , દવાનો છંટકાવ અને અન્ય બીજા બધા કાર્ય માટે ખેડૂત શાહુકાર પાસેથી કરજ લે છે અને જો પાક પાકવા સમયે કુદરતી આફત જેવી કે વાવાઝોડું , તોફાન , કરા આવે તો પાક નિષ્ફળ જાય છે અને બિચારા ખેડૂતની મહેનત વ્યર્થ થઇ જાય છે . તે ક્યાંથી ઉતારશે એ દેવું જે તેણે શાહુકાર પાસેથી લીધું છે . જો એક - બે પાક આમજ નિષ્ફળ થઇ જાય તો પંખે લટકવા સિવાય એની પાસે કોઈ રસ્તો રહેતો નથી . આપણે આજે આ વ્યવસ્થા ખેડૂતોને આપીએ છીએ . 

             સજીવ ખેતી એ શબ્દ આપણા વ્યવહારમાં એવી રીતે વણાઇ ગયો છે કે એના દ્વારા આપણે રાસાયણિક સજીવ ખેતીની જ ચર્ચા કરીએ છીએ . સજીવ ખેતી શું છે ? એ પણ ખેડૂત માટે , એમની આર્થિક પરિસ્થિતિ માટે , રાસાયણિક ખેતીથી ઓછી સસ્તી નથી અને એટલી જ ખતરનાક છે . હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય ( હિસ્સાર ) અને પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય ( લુધિયાણા ) ના આંકડા , જે ત્યાંના કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યા છે , તે પણ આ વાતને સમર્થન કરે છે . ભારતમાં ડાંગર અને ઘઉં આ બે પાકો અનાજની જરૂરિયાત પૂરી પાડે છે . ભારતમાં અનાજની જરૂરિયાત પૂરી કરવામાં આ પાકોનું સૌથી વધુ યોગદાન છે . આ પાક સૌથી વધુ પોષક તત્વો જમીનમાંથી ખેંચે છે . મોસમ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડાંગર અને ઘઉંનો પાક ઉત્પન્ન કરવા માટે પ્રતિ પાક ૬૦ કિ.ગ્રા . નાઈટ્રોજનની જરૂર પડે છે . 
                    વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે આ જરૂરિયાત પૂરી પાડવા માટે એક પાકને એક એકરમાં ૩૦૦ ક્વિન્ટલ છાણિયા ખાતરની જરૂર પડે છે . ચૌધરી ચરણસિંહ કૃષિ વિશ્વવિદ્યાલય ( હિસ્સાર ) અને પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય ( લુધિયાણા ) ની ડાંગરના પાક માટે ભલામણ મુજબ એક ટન છાણિયું ખાતર પાકને બે કિ.ગ્રા . નાઈટ્રોજન આપે છે . આ ગણતરી મુજબ ૩૦ ટન છાણિયું ખાતર એક એકર માટે જોઈએ . પાકમાં તેને નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી પાડવા માટે લગભગ ૩૦૦ ક્વિન્ટલ છાણિયું ખાતર જોઈએ . હવે ૩૦૦ ક્વિન્ટલ છાણિયું ખાતર સજીવ ખેતી દ્વારા એટલું ઉત્પાદન પૂરું કરી શકશે જેટલું ૬૦ કિ.ગ્રા . નાઈટ્રોજન નાખીને કરાય છે . આ દ્રષ્ટીએ ૩૦૦ ક્વિન્ટલ છાણિયા ખાતર માટે કેટલાં પશુ જોઈએ ?, ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ પશુ જોઇએ . ખેડૂત એક એકર જમીન માટે ૨૫ પશુ પાળશે કે તેના પરિવારનું પેટ ભરશે . શું આ વાત વ્યવહારિક છે ? એક એકરના ખેડૂતે ૨૫ પશુ પાળ્યા , ૩00 ક્વિન્ટલ ખાતર તૈયાર કર્યું અને ખેતરમાં વાપર્યું , તો પશુઓનું પેટ ભરશે કે ઘરના સભ્યોનું ? આ છે સજીવ ખેતીનો આધાર . આનો બીજો વિકલ્પ પણ આપ્યો છે કે જો છાણિયું ખાતર ૩૦૦ ક્વિન્ટલ નથી તો ૧૫૦ ક્વિન્ટલ અળસિયાનું ખાતર નાખો , તે પણ તેટલું જ કાર્ય કરશે . તો હવે છાણ અથવા અળસિયાના ખાતર માટે પાછા પશુ જોઈએ . આ ખાતર લાંબા સમય પછી તૈયાર થાય છે . આમ સ્પષ્ટ જણાય છે કે સજીવ ખેતીનો જે કાર્યક્રમ છે , તેના પ્રમાણે એટલું છાણિયું ખાતર નાખ્યા પછી આટલી મોટી જમીન પર આટલા બધા માણસનું પેટ આપણે ભરી શકીએ નહી .

            આજકાલ , સજીવ ખેતીના નામ ઉપર કેટલાક લોકોએ મોટા - મોટા ઉદ્યોગો સ્થાપ્યા છે . એ લોકો સજીવ ખાતર બનાવી રહ્યા છે , જંતુનાશક ( પેસ્ટીસાઇડ ) બનાવી રહ્યા છે , જેની કિંમત રાસાયણિક ખાતરથી પણ વધારે છે . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે . દેશના ખેડૂતની જેટલી ચિંતા એ કરી રહ્યા છે , શું તે આ રસ્તાથી મેળવી શકાશે ? 

                             વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે અળસિયાનું ખાતર બનાવવાવાળા વિદેશી અળસિયા આઇસેનિયા ફોટડા વધારે પ્રમાણમાં ભારે તત્વો ( હેવી મેટલ્સ ) જેવાં કે - શીશું , પારો , આર્સેનિક , કેડમિયમ , નિકલ , ક્રોમિયમ વિગેરે તેના શરીરમાં હોય છે અને તે વર્મીકમ્પોષ્ટમાં છોડે છે અને છોડને આપે છે , જે જમીન અને માણસના સ્વાથ્ય માટે ખૂબજ હાનીકારક છે . આ અળસિયા માટી ખાતાં નથી , ફક્ત છાણ તથા લાકડાના પદાર્થ જ ખાય છે . ૧૬ ° સે . નીચે તથા ૨૮ ° સે . થી ઉપરના ઉષ્ણતામાનમાં જીવિત રહી શકતાં નથી અને જમીનમાં દર કરીને નીચે ઉંડે જતાં નથી . આનાથી વિરૂધ્ધ દેશી અળસિયા 0 થી પર ° સે . ઉષ્ણતામાનમાં કામ કરતાં રહે છે અને હવામાન તથા વાતાવરણની પરિસ્થિતિ અનુસાર જમીનમાં ૧૫ ફૂટ સુધી ઉપર - નીચે આવતાં - જતાં રહે છે તથા જમીનમાં નીચેના સ્તરમાંથી પોષક તત્વો લાવીને છોડના મૂળને આપે છે . દેશી અળસિયા જયારે જમીનમાં દર કરે છે ત્યારે દરની દિવાલને તેના શરીરની અંદરથી નીકળતાં વમવાસથી વીંટળાઈને ચાલે છે જેથી લાંબા સમયસુધી તે દર જમીનમાં બનેલાં રહે છે અને જમીનમાં વધારે વરસાદ અથવા દુષ્કાળની સ્થિતિમાં પાણી અથવા ભેજનું પ્રસરણ કરે છે .                                                      ઈ.સ. ૧૯૨૧ માં એલ્બર્ટ હાવર્ડ , જેમને સજીવ ખેતીના પિતા કહેવાય છે , અને એમની પત્નીએ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે બ્રિટનમાં એક સંસ્થાની સ્થાપના કરી . તે બંને ઈ.સ. ૧૯૩૦ માં ભારતમાં આનો પ્રચાર કરવા માટે આવ્યાં હતાં . ત્યારે તેઓ અહિયાંની પ્રાકૃતિક કૃષિ જોઇને અત્યંત પ્રભાવિત થયા અને પાછા તેમના દેશમાં જઈને પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરવા લાગ્યા . ઈ.સ. ૧૯૪૮ માં વૈજ્ઞાનિક જે . આઈ . રોડેલ , એલ્બર્ટ હાવર્ડથી પ્રભાવિત થઈને અમેરિકામાં સજીવ ખેતીના અભ્યાસ માટે રોડેલ સંસ્થાની સ્થાપના કરી . તેમણે ઈ.સ. ૧૯૮૧ માં સજીવ ખેતી ઉપર અભ્યાસ ચાલુ કર્યો અને ૩૦ વર્ષના અભ્યાસ પછી તેમને જાણવા મળ્યું કે સજીવ ખેતીમાં મકાઈના પાક ઉપર પહેલાં પ વર્ષ સુધી ઉત્પાદનમાં ઘટાડો થયો પરંતુ પછીથી સજીવ ખેતીનું ઉત્પાદન રાસાયણિક ખેતીની બરાબર થવા લાગ્યું . પાંચ વર્ષ દુષ્કાળ પડ્યો જેમાં સજીવ ખેતીમાં રાસાયણિક ખેતીથી એક તૃતીયાંશ ઉત્પાદન વધારે થયું . સોયાબીનના પાકમાં સજીવ ખેતીમાં રાસાયણિક ખેતીની બરાબર ઉત્પાદન તથા દુષ્કાળ દરમ્યાન સજીવ ખેતીમાં રાસાયણિક ખેતીથી ૮૦-૧૦૦ ટકા વધારે ઉત્પાદન થયું . 

ક્રમશ  .......

Comments

Post a Comment

Popular posts from this blog

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી

ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ