શ્રી વૈકુંઠભાઈ મેહતા -સહકારી પ્રવૃત્તિના ભીષ્મપિતા

સહકારી પ્રવૃતિના ભિષ્મપિતામહ અને ભાવનગરના સપૂત શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઇ મહેતા. શ્રી વૈકુંઠભાઈ મહેતાનો જન્મ સને ૧૮૯૧ ની ૨૬ મી ઓકટોબરના રોજ ભાવનગરના વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો . તેમના પિતાશ્રી સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર રાજયના સંનિષ્ઠ વહીવટકર્તા હતા અને શ્રીમંત કુટુંબના ઉચ્ચ સંસ્કાર , નિતીમત્તા અને લોક કલ્યાણ સાધવાના સદગુણો શ્રી વૈકુંઠભાઈના જીવનમાં સમરસ બન્યા હતા.સહજ રીતે જ તેઓ શ્રી રચનાત્મક કાર્યકર , બેકિંગ તેમજ નાણાકીય બાબતોના નિષ્ણાંત હોવાની સાથે ઉચ્ચ કોટિના વહીવટકર્તા તરીકેની તેઓશ્રીની બહુમુખી પ્રતિભા અને ઉદાર વ્યકિતત્વના કારણે તેઓશ્રી લોકપ્રિયતા મેળવી શક્યા હતા . તે જમાનામાં આટલી શ્રીમંતાઈ બહુ ઓછી વ્યકિતઓ ધરાવતી હતી , છતા તેમની સૌજન્યશીલતા , નમ્રતા અને સાદગી , દ્રઢ મનોબળ , બુદ્ધિની તિક્ષ્ણતા અને કોઈપણ મુદ્દા કે બાબતને કશા પૂર્વગ્રહ – હકારાત્મક કે નકારાત્મકતા સિવાય સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોવાની ...