Posts

Showing posts with the label કામધેનુ યુનિવર્સિટી

પશુપાલન-૨

Image
પશુપાલકોને મૂંઝવતા પ્રશ્ર્નો અને તેનું નિરાકરણ પ્રશ્ન -૧ દુધાળા પશુની ખરીદી કરતી વખતે કઈ - કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?  જવાબ :દુધાળ પશુ શાંત સ્વભાવનું , પહેલા કે બીજા વેતરનું તાજું વિયાયેલું , સુવિકસિત ચુરસ્ત બાવલા વાળું , દુધની નસ લાંબી અને ગૂંચવાળી , દુગ્ધશીરા છેક છાતીનાં ભાગ સુધી પહોચતી હોય તેવું , શરીરે તંદુરસ્ત , કોઇપણ ખોડ ખાંપણ વગરનું , આઉ નાના અને સરખા આંચળવાળું પાછળના ભાગે ઉંચે સુધી જતું હોવું જોઈએ .  પ્રશ્ન -૨ પશુ રહેઠાણમાં પશુઓને કેટલી જગ્યા જોઈએ ?  જવાબ :પશુ રહેઠાણ બનાવતી વખતે પુખ ગાયો માટે ગાય દીઠ ૩.૫ ચો.મી. , ભેંસ દીઠ ચો.મી. , વોડકીઓને ૩.૦ ચો.મી. , વાછરડી દીઠ ૨.૦ ચો.મી. , વિયાણ ઘરમાં ગાય દીઠ ૧૨.૦૦ ચો.મી. , તથા સાંઢ દીઠ ૧૨.૦૦ ચો.મી.જગ્યા ધ્યાનમાં લેવી .   પ્રશ્ન -3 ઘાસચારાને નીરવાની પદ્ધતિ શું છે ?  જવાબ :સુકા - લીલા ઘાસચારાને મિક્ષ કરી ચાફ કટર કે સુડાથી ઝીણા ટુકડા કરી નીરણ કરવું જોઈએ . જેનાથી ખોરાકનો બગાડ અટકે છે . ખોરાકનું સારું પાચન થાય છે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. . પ્રશ્ન -૪ શું વધારે પાણી પીવડાવવાથી પશુઓમાં દૂધ ઉત્પા...

પશુપાલન

Image
પશુપાલકોને મૂંઝવતા પશુપ્રજનનલક્ષી પ્રશ્નો અને તેનું નિરાકરણ   પ્રશ્ન -૧ ગાય / ભેંસ ગરમીમાં આવે છે કે કેમ તે ખબર નથી પડતી ?  જવાબ :ગાયની સરખામણીએ ભેંસમાં ગરમીના ચિન્હો બહુ ઓછા દેખાય છે જો ગરમી વિષે ખ્યાલ ના આવે તો ડોક્ટરની સલાહ લેવી .આવશ્યક છે અને જો ડોક્ટર હાજર ન હોય તો તારીખ નોંધી લેવી અને ફરીથી ૧૯ થી ૨૨ દિવસે લક્ષણો જોવા જેવાકે તેલની ધાર જેવી લાળી કરવી , ભાંભરવું ,બરાડવું , વારંવાર પેશાબ કરવો , યોનીનો ભાગ લાલાશ પડતો દેખાય , પશુ ડબકાય તો બીજદાન કરવું હિતાવહ છે .   પ્રશ્ન -૨ ગાય / ભેંસ ગરમીમાં આવે પછી ક્યારે ગાભણ કરાવીએ ?  જવાબ: ગાય / ભેંસ ૧૮ થી ૨૧ દિવસના અંતરાળ ગરમીમાં આવે છે અને ૨૪ કલાક સુધી ગરમીમાં રહે છે . ગાય / ભેંસને ગરમીના છેલ્લા ૧૨ કલાકમાં ગમે ત્યારે બીજદાન કરાવી શકો છો . એટલે ફે તમે સાંજે ગરમીના ચિન્હો જોયા હોય તો વહેલી સવારે બીજદાન કરાવો અને સવારે ગરમીના લક્ષણો નિહાળ્યા હોય તો સાંજે બીજદાના કરાવી શકો છો . એવીજરીતે ૧૨ કલાકની અંતરાળે બે વાર બીજદાન કરાવવું લાભદાયી છે .  પ્રશ્ન -૩ ગાય / ભેંસને ફેળવ્યા પછી શું કાળજી રાખવી પડે ?   જવાબ:...