પરિવર્તનશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ

પરિવર્તશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ


              ભારતીય અર્થતંત્રમાં ભારતને વર્ષો પહેલાં પણ ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો . આજે પણ મોટાભાગની વસ્તી કૃષિ આધારીત અને કૃષિ પર નભતા લોકો જોવા મળે છે . આજના યુગમાં શાકભાજીથી લઈને ફળ , ફુલ , અનાજ અને કઠોળ જેવા વિવિધ પાધમાં દેખીતી રીતે ઘણા ખરા રાસાયણિક ખાતરો , જંતુનાશક દવાઓ તથા કેમિકલયુકત દવાનો છંટકાવ કરવામાં આવે છે . ઘણી જગ્યાએ તો ફળ - ફુલ કે શાકભાજીના કદ અને રંગ માટે કેમિકલયુકત ઈજેકશનનો ઉપયોગ થતો જોવા મળે છે . જેના કારણે આવા ફળ અને શાકભાજી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી લાંબા ગાળે ચામડીના , સ્નાયુના , કેન્સર તથા આંતરિક અવયવોના રોગો , ઇન્ફેક્શન ના રોગો વિગેરે જોવા મળે છે . આવા ખોરાકને લીધે મનુષ્યના શરીરમાં રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો થવા પામે છે . આજની બજારમાં મોટાભાગની વસ્તુઓ જયારે ભેળસેળયુકત જોવા મળે છે ત્યારે આ સામાન્ય પ્રજાની શારિરીક અને માનસિક તંદુરસ્તી સાથે ચેડા થતા જોવા મળે છે.
         આથીજ આજના ધરતીપુત્રોને સજીવ ખેતીનું મહત્વ સમજવું ઘણું જ જરૂરી બન્યુ છે . વર્ષોથી જયારે ખેડુત પોતાની જમીનમાં કેમિકલ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે ત્યારે તે જમીન પણ ઝેરી તત્વોથી પોષણહિન થતી જાય છે . જમીનની ફળદ્રુપતામાં ઘટાડો તથા તેના રેસાયુકત અને પ્રાકૃતિક ક્ષાર આપતા બેકટેરીયાનું પ્રમાણ ઘટવા પામેં છે . જેના કારણે આ બધા પાકોને પરાણે પકાવવામાં આવે છે જેમાં વિટામીન અને પોષક તત્વ ની ઉણપ જોવા મળે છે . આ બધા પ્રશ્નોના નિરાકરણનો એક જ ઉતર છે તે છે સજીવ ખેતી

                   રાસાયણિક દવા , જંતુનાશક કે . કેમિકલ વગરની ખેતીને સજીવ ખેતી , પ્રાકૃતિક ખેતી , કુદરતી ખેતી કેહવામાં આવે છે . અંગ્રેજીમાં તેને ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે . આજે ભારત અને ગુજરાતની ઘણી ખરી કૃષિ યુનિવર્સિટીમાં સજીવ ખેતીનું મહત્વ સમજાવ્યું છે આજે ગામડે ગામડે આધુનિક પધ્ધતિ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો અને સંશોધકો થકી ધરતીપુત્રોને  તેના ઉપયોગ અને થતા લાભ વિશે માહિતી પુરી પાડવામાં આવે છે . આ કુદરતી ખેતીને શુન્ય બજેટની ખેતી પણ કહી શકાય . આ પદ્ધતિની ખેતીમાં કોઈપણ પ્રકા ના ખરીદેલ ઝેરી કે કેમિકલવાળી ( એગ્રો ) દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી . જેમાં ફકત દેશી કે છાણીયુ ખાતર ( કોમ્પોસ્ટ.ખાતર ) , અળસિયાયુકત ખાતર , ગૌમૂત્ર વિગેરેને ઉપયોગમાં લેવામાં આવે છે . 
                      આજથી ૧૦૦-૧૫૦ વર્ષ પહેલા જેવી રીતે આપણા પૂર્વજો ખેતી કરતા હતી તે જ પદ્ધતિએ આપણે આ જૈવિક ખેતી કરવાની હોય છે . અને જો તમે આ તમામ બાબતોનું ધ્યાન રાખીને કુદરતી ખેતી કરવાનું ચાલું કરશો તો ફકત એકલી તમારી ઉપજ નહિ વધે પરંતુ તેની સાથે જમીનની ક્ષમતા , ફળદ્રુપતા , જૈવિક બેકટેરીયાનું પ્રમાણ વધતા ઉત્પાદકતામાં પણ ખૂબ જ સુધારા સાથે વધારો જોવા મળશે . કેમિકલરહિત તથા સ્વાદિષ્ટ પાકો ઉત્પન્ન થવાથી લોકોનું સ્વાશ્ય પણ સુધરશે અને લોકોને , સમાજને પ્રોટીન , વિટામીન તથા કેલેરીયુકત શુધ્ધ ખોરાક મળી રહેશે .
તો આવો આપણે સહુ સાથે મળીને આ સજીવ ખેતીને અપનાવએ અને ખુશહાલ જીવનું બનાવીએ . 

જય કિસાન ...... જય જવાન ....... જય સહકાર .........

Comments

Popular posts from this blog

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી

ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ