પરિવર્તનશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ

પરિવર્તશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ ભારતીય અર્થતંત્રમાં ભારતને વર્ષો પહેલાં પણ ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો . આજે પણ મોટાભાગની વસ્તી કૃષિ આધારીત અને કૃષિ પર નભતા લોકો જોવા મળે છે . આજના યુગમાં શાકભાજીથી લઈને ફળ , ફુલ , અનાજ અને કઠોળ જેવા વિવિધ પાધમાં દેખીતી રીતે ઘણા ખરા રાસાયણિક ખાતરો , જંતુનાશક દવાઓ તથા કેમિકલયુકત દવાનો છંટકાવ કરવામાં આવે છે . ઘણી જગ્યાએ તો ફળ - ફુલ કે શાકભાજીના કદ અને રંગ માટે કેમિકલયુકત ઈજેકશનનો ઉપયોગ થતો જોવા મળે છે . જેના કારણે આવા ફળ અને શાકભાજી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી લાંબા ગાળે ચામડીના , સ્નાયુના , કેન્સર તથા આંતરિક અવયવોના રોગો , ઇન્ફેક્શન ના રોગો વિગેરે જોવા મળે છે . આવા ખોરાકને લીધે મનુષ્યના શરીરમાં રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો થવા પામે છે . આજની બજારમાં મોટાભાગની વસ્તુઓ જયારે ભેળસેળયુકત જોવા મળે છે ત્યારે આ સામાન્ય પ્રજાની શારિરીક અને માનસિક તંદુરસ્તી સાથે ચેડા થતા જોવા મળે છે. આથીજ આજના ધરતીપુત્રોને સજીવ ખેતીનું મહત્વ સમજવું ઘણું જ જરૂરી બન્યુ છે . વર્ષોથ...