ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ
સહકારી પ્રવૃત્તિના પ્રારંભને ૭૫ વર્ષ થયાં છે અને તેની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી થઇ રહી છે . તેની સઘળી વિકાસ : પ્રવૃત્તિને બે તબક્કામાં વહેંચી શકાય . પ્રથમ તબક્કો ભારત સ્વતંત્ર થયું તે પહેલાં અને બીજા તબક્કો સ્વતંત્રતા પછીને . પહેલા તબક્કામાં ૪૫ વર્ષના ગાળામાં સને ૧૯૦૪ થી ભારત સરકારે કો ઓ . ક્રેડિટ સોસાયટી એકટ પસાર કરી પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો ગ્રામીણ અને શહેર વિભાગની મંડળીઓને ધિરાણ મળી રહે , તેવી શરાફી મંડળીએ અસ્તિત્વમાં આવી . સને ૧૯૨૫ સુધી પ્રવૃત્તિ ફકત ધિરાણ પૂરતી જ મર્યાદિત રહી . સને ૧૯૨૫ માં મુંબઈ રાજ્યમાં સહકારી મંડળીઓનો કાયદો થયો અને તે પ્રમાણે માત્ર શરાફી મંડળી નહિ ; પરંતુ આર્થિક વિકાસ માટે બિન શરાફી મંડળીઓની પણ રચના - જોગવાઈ થઈ . સને ૧૯૨૫ થી સને ૧૯૪૭ સુધીમાં મુંબઈ રાજ્યમાં સહકારી બેંકે અને શરાફી મંડળી ઓ દ્વારા ધિરાણનું કામ થતું રહ્યું . ઉપરાંત બીજી શરાફી મંડળીઓ જેવી કે ખરીદ વેચાણ સંઘો , કપાસ મંડળીઓ , ગૃહ નિર્માણ મંડળી , વીમા મંડળીઓ , ઉત્પાદક મંડળીઓ વગેરે દ્વારા વિવિધ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ કામ થવા માંડયું , ભારત સ્વતંત્ર થયું તે પછી બીજા તબક્કાના ૩૦ વર્ષમાં સહકારી કાયદામાં વખતોવખત સુધારાઓ થતા રહ્યા અને આયોજનબદ્ધ રીતે નાણાકીય સગવડે વધતી રહી અને આમજનતાનો પ્રવૃત્તિમાં વિશ્વાસ જામતાં પ્રવૃત્તિનો વેગ વધુ ઝડપી બન્યું સને ૧૯૬૦ પહેલાંના તબક્કામાં રાજ્યમાં ૩૦૮ મંડળીઓ હતી અને પછીના બીજા તબક્કામાં ૪૩૧ મંડળીઓ થઈ . આ આંકડાઓ ઉપરથી વેગ - વૃદ્ધિનો ખ્યાલ આવશે .
ગુજરાતમાં સહકારી ધોરણે દૂધ પ્રવૃત્તિને વિકાસ પ્રારંભ
ભારતભરમાં સહકારી ક્ષેત્રો ગુજરાત રાજય વિવિધ ક્ષેત્રે પ્રવૃત્તિમાં કામ કરતું વિકસિત રાજય ગણાય છે . છેલ્લાં કેટલાંક વર્ષોથી તેની વિશિષ્ટતા સહકારી પ્રવૃત્તિમાં આગેકદમ માંડતી રહી છે . તેના વિકાસનું દર્શન કરવા દેશ - પરદેશથી મુલાકાતીઓ અવારનવાર આવતા રહે છે . અને તેની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ પ્રેરણા અને પ્રકાશ મેળવી પ્રશંસાનાં પુષ્પો વેરતા જાય છે . આવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગુજરાતમાં સહકારી ડેરી પ્રવૃત્તિઓ નોંધપાત્ર આકર્ષણ જમાવ્યું છે . જેમાં આણંદની અમૂલ ડેરી કેન્દ્રસ્થાને રહેલી છે . ભારત સ્વતંત્ર થયા પછી ડેરી પ્રવૃત્તિઓ હરણફાળ ભરવા માંડી છે . ગુજરાતના દરેક જિલ્લામાં સહકારી ધોરણે જિલ્લા સંઘો સ્થાપી તે દ્વારા ગામડાંઓમાં પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનું સર્જન કરી ખેડૂતોનું દૂધ એકત્રિત કરી તેની વેચાણ - વ્યવસ્થા ગોઠવાય તે માટેનું દૂરગામી આયોજન કરવામાં આવ્યું છે . આવા આયોજનની પાછળનું મુખ્ય ઉદ્દેશ એ રહ્યો છે કે , ગુજરાત રાજ્ય ભારતનાં અન્ય રાજ્યોની માફક ખેતી ઉપર નભતું રાજ્ય છે . તેની વસતીના પ્રમાણે તેના ખેડૂત પાસે સરેરાશ જમીન ધારણ શક્તિ ફકત દોઢ એકરની છે . દિન પ્રતિદિન વસતી વધારે થતાં જમીન ધારણશકિતનું પ્રમાણ વધતું જાય છે , જેથી માત્ર ખેતી ઉપર નભતાં તેના કુટુંબની આજીવિકાનું સાધન ટાંચુ પડતું જાય છે . રાજ્યની જમીનનું પ્રમાણ સ્થિર રહે અને વસતી વધતી જ જાય એવી પરિસ્થિતિમાંજો ખેડૂતને વધારાની આવક મળે તેવા વિકલ્પને વિચાર કે કરવામાં ન આવે , તો પરિસ્થિતિ વધુ બગડતી જાય . આ રીતે બગડતી પરિસ્થિતિને અટકાવવા ખેતી સાથે પશુપાલન અને દૂધ ઉત્પાદનને સામેલ કરવાનો વિકલ્પ વ્યવસ્થિત રીતે વિચારાયો . અને તે દરેક જિલ્લામાં સહકારી ધોરણે વિકસતો રહે , તેના માટે જરૂરી આયોજન કરવામાં આવ્યાં .
ગુજરાતમાં સૌ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના શ્રીગણેશ
સને ૧૯૩૮ માં સુરત શહેરના દૂધ ઉત્પાદક ભાઇ જેઓ મોટા ભાગના ખેડા જિલ્લાના પાટીદાર ભાઈઓ હતા , તેમણે દૂધના વેપારી ભાટિયાઓના ચૂસણ નીતિમાંથી મુકત થવા શ્રી = આશાભાઈ પટેલની આગેવાની હેઠળ આંદોલન કરેલું . તેમાંથી લોકશાહી ધોરણે દૂધ ઉત્પાદકોનું મંડળ ( એસોસિએશન ) રચી ઉત્પાદકોને દૂધ એકત્રિત કરી ગ્રાહકોને સીધું વેચાણ કરવાની વ્યવસ્થા કરી , ત્યારથી પ્રવૃત્તિનાં મંડાણ મંડાયાં . ઉત્પાદક મંડળીના પગલે શહેરની આજુબાજુ નજદીકનાં ગામડાંના ખેડૂતોની સહકારી મંડળી રચવાની પ્રેરણા મળી અને સને ૧૯૪૦ માં ચોર્યાસી તાલુકા દૂધ વેચાણ કરનારી સહકારી મંડળીને જન્મ થયો . તે વખતે મુંબઈ રાજ્યમાં નેધાવેલી આ પ્રથમ સહકારી દૂધ મંડળી હતી . આ મંડળીનું ઉદ્ઘાટન માનનીયશ્રી મોરારજી . ભાઈ દેસાઈના વરદ્ હસ્તે થયેલું . આ રીતે સુરત દૂધ ઉત્પાદક મંડળ અને ચોર્યાસી તાલુકા દૂધ વેચાણ મંડળીએ દૂધ ઉત્પાદકો તથા ખેડૂતોનું દૂધ એકત્રિત કરી સીધું વાપરનારાઓને દૂધ પૂરું પાડવાનું શરૂ કર્યું . વેપારી ભાટિયાઓની ચૂસણનીતિ બંધ થઈ અને ઉત્પાદકને વ્યાજબી ભાવે મળવા લાગ્યા . આમ , સુરત જિલ્લામાંથી દૂધના વ્યવસાયના સહકારી ધોરણે શ્રી ગણેશ મંડાયા
સહકારી પ્રવૃત્તિના શ્રી ગણેશ પહેલાં ૧૯ મી સદીમાં ખેડા જિલ્લામાં પણ ખેડૂતે ખેતી સાથેના વ્યવસાયમાં ભેંસો રાખતા અને સાથેના વ્યવસાયમાં અને પોતાના ઉપયોગમાં વપરાતા દૂધ સિવાયના દૂધને ઉપયોગ થી બનાવવામાં કરતા અને છાશ લોકોને મફત વહેચતા . ઉત્પાદનના આશરે ૪૦ ટકા દૂધ ઘર લાગ્યા . આમ , સુરત ખેડા જિલ્લો L 2 ૯ વપરાશમાં જતું અને ૬૦ ટકા દૂધ ધી બનાવવામાં વપરાતું . ઘરવપરાશ ઉપરાંતનું ઘી વેપારીઓને વેચાવામાં આવતું . તે સમયે મહેમદાવાદ ઘી માટેનું મોટું વેપારી કેન્દ્ર ગણાતું . આ કેન્દ્ર = ઉપરથી વાર્ષિક આશરે ૧૫ લાખ કિલો જેટલું ઘી નિકાસ થતું અને મહેમદાવાદના ઘી તરીકે વેચાતું .
પલસનનુ આગમન
મુંબઈના પારસી ગૃહસ્થાશ્રી પેસ્તનજી એદલજી પોલસન મુંબઇમાં ડેરી કરી લશ્કરને માખણ પૂરું પાડવાનો ધંધો કરતા હતા . તેમણે પણ ખેડા જિલ્લામાં સેપરેટ મશીને ગોઠવી હજારો રતલ ક્રીમ મુંબઈ મોકલવા માંડયું . સને ૧૯૨૯ માં તેમણે આણંદમાં પોલસન મંડેલ ડેરીની સ્થાપના કરી , દૂધનો વેપાર જમાવવા માંડયો . સને ૧૯૩૦ થી સને ૧૯૩૨ સુધીમાં તેમણે માખણને એવો મોટો વેપાર કર્યો કે , દેશ - પરદેશમાં તેમની નામના થઈ અને ‘ પેલસન ' શબ્દ માખણ શબ્દોનો પર્યાયરૂપ બની ગયો . સને ૧૯૩૯ ના બીજા વિશ્વ યુદ્ધમાં માખણની માંગ વધી જતાં ખેડા જિલ્લામાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું . દૂધનું ઉત્પાદન વધું ને પોલસન ડેરીને વેપાર પણ ખૂબ વધ્યો . સને ૧૯૪૩ માં પોલસને આશરે ૧૪ લાખ કિલો જેટલું માખણ ઉત્પાદન કરેલું . સાથે સાથે કેસીન પણ સપ્રમાણ ઉત્પન્ન થતું . ઉપર પ્રમાણે ઉત્પાદન વધવા છતાં તેનો લાભ ખેડૂતોને ન મળતાં પોલસન ડેરી અને દૂધ ઉઘરાવનારા વચલા વર્ગને જ જ મળતાં આ પરિસ્થિતિને રંજ ખેડૂતોના હૃદયમાં રહેતો .
દૂધના ધધાની ઈજારા પદ્ધતિ
સને ૧૯૪૫ માં મુંબઈ શહેરમાં દૂધની અછતને કારણે તંગી પડતાં સરકારે આણંદથી મુંબઈને દૂધ પૂરું પાડવાની યોજના શરૂ કરી અને દૂધ મેળવવા પોલસન ડેરી સાથે કરાર કર્યો . આ કરારને અમલ સારી રીતે થાય તે માટે ખેડા જિલ્લામાંથી દૂધ અને દૂધની બનાવટો સરકારની પરવાનગી સિવાય કોઈ નિકાસ કરી શકશે નહિ , તેવું જાહેરનામું બહાર પાડયું અને આણંદ તાલુકાની આજુબાજુનાં ૧૪ ગામમાંથી પોલસન સિવાય કોઈ દૂધ ઉઘરાવી શકશે નહીં તેવી ઈજારા પદ્ધતિ સહકાર ઊભી કરી . આનાથી પોલસેનને સારા ભાવ ન મળે તેવી પરિસ્થિતિ સર્જાઇ . આ ઇજારા પદ્ધતિની સામે ખેડૂતોએ લડાઈ ઉપાડી અને ભારતના લોખંડી પુરુષ સ્વ . સરદાર વલ્લભભાઈ પટેલને મળી તેમનું માર્ગદર્શન મેળવ્યું . સરદારે તેમને સંગઠિત થઈ ઈજારાશાહીના હુકમ સામે પડકાર કરવાની સલાહ આપી અને તે પ્રમાણે પડકાર થતાં લડત માટે ચળવળ ચલાવી . આખરે સરકારને નમતું આપવું પડયું અને સહકારી મંડળી ઓ દ્વારા દૂધ ખરીદ કરવાની વાત સ્વીકારવી પડી . આ લડતમાંથી સને ૧૯૪૬ જાન્યુઆરી માસમાં સામરખા મુકામે શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રમુખપદે ભરાયેલી ખેડૂત પરિષદમાં દૂધનો ધંધો સહકારી ધોરણે કરવાનો નિર્ણય લેવાયો . આ ઐતિહાસિક ઠરાવમાંથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરવાનો વિચાર કર્યો .
અમૂલને જન્મ
સને ૧૯૪૬ માં શ્રી ત્રિભોવનદાસ પટેલે નડિયાદમાં સેવા મંદિરના મકાનમાં જિલ્લાના અગ્રણી કાર્યકરોની સભા બોલાવી અને ચર્ચા - વિચારણાને અંતે દૂધને ધંધા સહકારી ધોરણે ચલા વવા ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો અને સંઘને સહકારી કાયદા પ્રમાણે રજિસ્ટર્ડ કરવાની દરખાસ્ત મોકલી આપી અને તા . ૧૪–૧૨–૧૯૪૬ ને રોજ સંધની નોંધણી થઈ , અને તેના પ્રથમ શ્રી ત્રિભોવનદાસ કિશીભાઈ પટેલને બનાવી તે દ્વારા દૂધ એકત્રિત કરવાનું કામ શરૂ કર્યા . શરૂઆતમાં સ્થાપિત હિતો તરફથી કનડગત થવા લાગી ; પરંતુ તકલીફોનો સામનો કરી દૂધ પોલસને દ્વારા પેયુરાઇઝડ કરાવી મુંબઈ મોકલવાનું કામકાજ જારી રાખ્યું . સને ૧૯૪૭ માં હિંદ સ્વાતંત્રય થતાં કેન્દ્રમાં કોંગ્રેસી પ્રધાન મંડળ રચાયાં જેમાં પૂ . સરદારશ્રી , શ્રી મેરારજીભાઈ વગેરે લેક પ્રતિનિધિઓને સ્થાન મળ્યાં અને ઉત્પાદક સંઘનું કામ સરળ બન્યું . પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે સરકારે આણંદમાં જે રિસર્ચ ક્રીમરી ઊભી કરેલી તેના ડેરી પ્લાન્ટનાં યંત્રો , કાટમાળ પડેલાં તે યંત્રો ભાડે રાખવા સંઘના સંચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી . ભારત સરકારે સંઘને ભાડે આપવા મંજૂરી આપી અને તારીખ ૧–૬–૪૮ થી ડેરી શરૂ થઈ . ૨૫૦ લિટરથી શરૂ કરી છ માસમાં ૫,૦૦૦ લિટર સુધીનો જથ્થો નિકાસ કરવાની સ્થિતિ પ્રાપ્ત થઈ . ડેરીની શરૂઆત થતાં જ કુદરતી રીતે જ ડો . કુરિયન અને શ્રી દલાયા જેવા નિષ્ઠાવાન નિષ્ણાતો અને વહીવટકુશળ મેને જરો મળ્યા . ધીરે ધીરે ડેરીની પેયુરાઈઝડ શક્તિ વધારી ત્રણ વર્ષમાં રોજના આશરે ૨૦,૦૦૦ લિટર દૂધ સુધી વધારી શકાયું . સને ૧૯૫૨ માં મુંબઈ સરકારે અઘતન ડેરી બાંધવા માટે આણંદમાં જમીન ખરીદેલી તે જમીન સંઘને નવી ડેરી બાંધવા માટે આપવામાં આવી અને ત્રણ જ વર્ષમાં કોલંબે પ્લાન હેઠળ યુનિસેફ અને એફ . એ . ઓ . જેવી પરદેશી સંસ્થાઓની નાણાકીય અને ટેકનિકલ સહાયથી આશરે ૩૧ લાખના ખર્ચે અદ્યતન ડેરી બાંધી અને તા . ૩૧-૧૦-૧૯૫૫ ને રોજ ભાર તના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના વરદ હસ્તે પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું . અદ્યતન મશીનરી અને ડેરી તન્ના માણસો પ્રાપ્ત થતાં મુંબઈ દૂધ મોકલવા ઉપરાંત દૂધની બના વટો માખણ , ઘી , બેબી ફૂડ , દૂધ પાઉડર વગેરે બનાવવાનું પ્રારંભ કરી આણંદ મિલ્ક યુનિયન લિ . અમૂલના નામથી માર્કેટમાં મૂકવા વ્યવસ્થા ગોઠવાઈ ગઇ . બીજી બાજુ ગામડાંઓમાં પ્રાથમિક મંડળીઓની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી અને નવો પ્લાન્ટ સને ૧૯૫૬ માં શરૂ થતાં ૧૦૭ દૂધ ઉત્પાદક મંડળીઓ નોંધાઈ ગઈ અને સંઘને દૂધ આપવા માંડયું . દિન પ્રતિદિન મંડળીઓની સંખ્યા વધતી રહી અને પાંચ વર્ષમાં એટલે સને ૧૯૬૦ માં દૂધ વધતાં ડેરીનું વિસ્તૃતિકરણ કરવાની જરૂર પડી . પ્રથમ વિસ્તૃતિકરણ ૧૯૬૦ માં થયું અને બીજું વિસ્તૃતિકરણ સને ૧૯૬૫ માં થયું . પ્રથમ વિસ્તૃતિકરણમાં બેબી ફૂડ માટે ૨૫૦૦ ટન રોલર ડ્રાઈડ પાઉડર માટેની મશીનરી ગોઠવવામાં આવી અને ૬00 ટન ચીઝ માટેનાં સાધનો ગોઠવાયાં . અને માયસોરના સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના સહયોગથી ભારતમાં સૌ પ્રથમ દૂધ પાઉડર અને ચીઝ ઉત્પન્ન કરવામાં સૌ પ્રથમ દૂધ પાઉડર અને ચીઝ ઉત્પન્ન કરવામાં આવ્યાં .
બીજા વિસ્તૃતિકરણમાં રોજના ૪૦ ટન માખણ બનાવવા માટેની વધારાની શક્તિ ઉમેરવામાં આવી . લશ્કરને માખણ અને પાઉડર પૂરાં પાડવાની જરૂરિયાત ઊભી થવાથી સરકારે સંઘને લોન અને સબસીડીને ધોરણે નાણાકીય મદદ આપી . આ પ્રમાણે બીજું વિસ્તૃતિકરણ થતાં ડેરીની સ્થાપિત શક્તિ આશરે રજની ૫ લાખ લિટર દૂધની બની . આ જ સમયમાં સને ૧૯૬૪ માં એફ . એ . ઓ ની ભૂખ મુક્તિની યોજના હેઠળ ઓક્ટરોય તરફથી સમતુલ આહાર માટેના કેટલફીડ પ્લાન્ટ મળ્યો , જે આણંદ પાસે કણઝરી ગામમાં ઊભા કરવામાં આવ્યો અને તેનું ઉદ્ઘાટન તે સમયના ભારતના સ્વ . લાલબહાદુર શાસ્ત્રીના વરદ્ હસ્તે થયું . આમ ગુજરાતમાં કેટલફીડ ફેક્ટરીનું સૌ પ્રથમ કારખાનું નાખવાનો યશ અમૂલને મળ્યો . ડેરી પ્લાન્ટ નાંખ્યા પછી દશ વર્ષના ગાળામાં અમૂલ ડેરી પ્રોડકશનમાં
બેબી ફૂડ , અમૂલ સ્પે , માખણ અને ચીઝના વેપારમાં હરણફાળ ભરીને સારાય ભારતમાં અમૂલનું નામ રોશન કર્યું . બીજી બાજુ પશુ સુધારણા અને સંવર્ધન તથા સારી ઓલાદ માટે વીર્ય કેન્દ્ર ઊભાં કરી કૃત્રિમ ગર્ભાધાન અને ઘનિષ્ટ પશુ સંવર્ધન યોજના દાખલ કરી અને પશુ સારવાર માટે ગામડાંઓમાં ફરતાં દવાખાનાં શરૂ કર્યું . કેટલ ફીડ ફેકટરી શરૂ થતાં સમતોલ પશુ આહાર ગામડાંઓમાં મંડળી દ્વારા પૂરાં પાડવાની યોજના ગોઠવાઈ અને સાથે સાથે ગામના ગૌચરામાં રજકાનું વાવેતર કરાવી લીલા ધાસચારો દૂધાળાં ઢોરોને નિયમિત મળે તેવી વ્યવસ્થાઓ રાહત ધરણે ગોઠવી . આ બધી યોજનામાંથી દૂધ ઉત્પાદનમાં સામુદાયિક રીતે વધારો થયો . આમ પશુપાલન અને ડેરી ઉદ્યોગના સર્વાગી વિકાસનાં બધાં અંગે ચેતનવંતાં બન્યાં અને ક્રમે ક્રમે એક પછી એક નવા વિકાસનાં શિખરો સર થતાં રહ્યાં . સારાયે એશિયા ખંડમાં અને તેના નકશામાં અમૂલનું નામ બોલાતું ગયું . આવા સુંદર વિકાસ માટે અમૂલના ચેરમેન શ્રી ત્રિભુવનદાસ પટેલ અને જનરલ મેનેજરશ્રી ડો . કુરિયનને મેગસેસે એવોર્ડ ફિલિપાઈન્સના મનિલા ખાતે સને ૧૯૬૩ માં આપવામાં આવ્યો . સને ૧૯૭૪ માં ડેરીનું વધુ વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું અને તેની સ્થાપિત શકિત ૫ લાખ લિટરથી વધારી સાડાસાત લાખ લિટર કરવામાં આવી . આ જ વર્ષમાં અમૂલે મોગરી મુકામે મિલ્ક ફૂડ , ચોકલેટ અને માલ્ટેડ ફૂડ બનાવવા માટેની નવી ફેકટરી શરૂ કરી , દૂધ મંડળીઓની સંખ્યા વધતી જ રહી . સને ૧૯૭૫ માં ૭૫૬ અને સને ૧૯૭૯ માં ૮૨૦ થઈ . આમ લગભગ ખેડા જિલ્લાના મોટા ભાગનાં બધાં જ ગામે આવરી લેવામાં આવ્યાં . અમૂલે ગામડાંઓની કરેલી આર્થિક સરવે રિપોર્ટના આંકડા જણાવે છે કે મોટા ભાગની , સારુ દૂધ ઉત્પાદન કરતાં ગામડાં એમાં ખેતીની કુલ આવકમાં ૫૦ ટકા આવક દૂધની હોય છે . આમ જિલ્લાના ખેડૂતોની આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે . ગામડાંઓમાં દૂધ મંડળીઓએ પોતાના નફામાંથી ગામની સાર્વજનિક જરૂરિયાતો જેવી કે પાણીની ટાંકીઓ , પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ , જાહેર રસ્તા , દવાખાનાં , ધર્મશાળા વગેરે ગ્રામ પંચાયતનાં જાહેર કાર્યોમાં સેંધપાત્ર ફાળો આપી તેના સામાન્ય વિકાસમાં મદદરૂપ થાય છે . મંડળીઓના લોકશાહી વહીવટથી જ્ઞાતિ ભેદો ઓછા થયા છે , અને લોકો એકબીજાની નજદીક આવી ગ્રામોદ્ધારની વિશાળ ભાવના તરફ દોરાયા છે . આ ઉપરાંત મહિલાઓ અને યુવકોને સહકારી પ્રવૃત્તિમાં જોડી તેમના સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં નવીન દષ્ટિ અને સૂઝ પૂરી પાડી છે . અમૂલને ધ્યેયનિષ્ઠ અને કોઠાસૂઝ દષ્ટિવાળી નિષ્કામ નેતા ગીરી તથા કાબેલ , વહીવટકુશળ વ્યવસ્થાપકોને કુદરતી રીતે સહયોગ મળવાથી બંને પાંખોની એકરાશિતા અને વિશ્વાસને કારણે અપ્રતિમ સફળતા મળી છે . અને ત્રીજું મંડળીઓને પણ સારો સહકાર મળ્યો . આથી ત્રણેય મંડળોનો ત્રિવેણી સંગમે અમૂલને જગત વ્યાપી પ્રતિષ્ઠા અપાવી અને સારાય ભારતમાં ખેડૂતોના આર્થિક વિકાસ માટે અનુકરણીય દષ્ટાન્ત બની રહ્યું .
પશુ - સુધારણા માટે કૃત્રિમ બીજદાન કેન્દ્રો અને ફરતાં દવાખાનાં તથા દાણ ફેકટરી
ડેરી પ્લાન્ટને પગલે પગલે દૂધ ઉત્પાદન વધારવા પશુની ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સ્થાપના કરી ચાર વર્ષના ગાળામાં આશરે ૮૫ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં અને તેમને સારી જાતના ઓલાદના પાડાઓનું વીર્ય પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવી . સાથે સાથે પશુ સારવાર માટે ફરતાં દવાખાનાં શરૂ કરી ૪૫૮ ગામોને આવરી લેવામાં આવ્યાં . ઉપરની બંને યોજનાનો લાભ ખેડૂતોએ લેવા માંડયો , જેથી દૂધ ઉત્પાદનની સરેરાશ વધી અને ડેરીને પણ વધુ દૂધ મળવા લાગ્યું . સને ૧૯૭૭ માં પશુ આહાર માટે કેટલ ફીડ ફેકટરી શરૂ કરી , સાગર દાણ પૂરું પાડવાની વ્યવસ્થા કરી . ઉપરોકત બંને પ્રવૃત્તિઓનો વિકાસ ધ્યાનમાં લઈ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે જિલ્લામાં વેસ્ટર્ન રીજિયોનલ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કર્યું . આ કેન્દ્ર ઉપર કૃત્રિમ બીજદાન અંગેની તાલીમ એ વિભાગના કાર્યકરો અને કામદારોને આપવામાં આવી . સને ૧૯૭૩-૭૪ થી સને ૧૯૭૮-૭૯ નાં પાંચ વર્ષના ગાળામાં સંઘે હરણફાળ ભરી સ્થાપિત શકિતથી દોઢું દૂધ એકત્રિત કરવા માંડ્યું . પરિણામે સને ૧૯૭૮ માં સાડા પાંચ કરોડના અંદાજી ખર્ચે ડેરીનું વિસ્તૃતિકરણ કરવાનું કાર્ય ઓપરેશન ફલડ યોજના હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને સોંપવામાં આવ્યું . બે વર્ષમાં વિસ્તૃતિકરણ પૂરું થતાં ડેરીની સ્થાપિત શકિત આશરે ૪.૫ લાખ લિટર થશે .
ગુજરાત કે - એ . મિલક માર્કેટિંગ ફેડરેશન લિ . ગુજરાતમાં જિલ્લે - જિલ્લે ડેરી પ્લાન્ટો નાખવાની અને અમૂલ પેટર્ન ઉપર સહકારી ધોરણે સહકારી જિલ્લા સંઘ રચી ગામડાંઓમાં ખેડૂતોને વધારાની આવક મળે , તેવો પશુપાલન અને ડેરીનો વિકાસ કરવાની ઝુંબેશ રાજ્ય કક્ષાએ શરૂ થઈ . આથી લગભગ ખેડા , સુરત , વડોદરા , મહેસાણા , બનાસકાંઠા , સાબરકાંઠા વગેરે જિલ્લામાં મેટા ડેરી પ્લાન્ટો નખાયા , અને દરેકે પોતાની શક્તિ પ્રમાણે દૂધની બનાવટો શરૂ કરી . પરિણામે દૂધની આડ - પેદાશોની બજારમાં હરી ફાઈ થવાના સંજોગો ઊભા થયા . આ પરિસ્થિતિ વધુ તીવ્ર બને તે પહેલાં બધી ડેરીઓના સંચાલકો સને ૧૯૭૩ માં આણંદ મુકામે ડેરીમાં ભેગા થયા અને બધી ડેરીનું માર્કેટિંગ ફેડરેશન કરી ગુજરાત ડેરીઓની પેદાશો માત્ર અમૂલના નામથી વેચવાનો નિર્ણય કર્યો . ગુજરાત ડેરી કો - ઓ . મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની રચના કરી તેનું બંધારણ તૈયાર કરી અને તે જ વર્ષમાં ડૉ . વી . કુરિયનની ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર તરીકે નિમણૂક કરી તેમની દેખરેખ નીચે કામકાજનો પ્રારંભ કર્યો . છ જિલ્લાની મોટી ડેરીના ચેરમેન ડૉ . કુરિયન અને સહકારી ખાતાના વડા એમ કુલ ૮ ડિરેક્ટરોનું બોર્ડ બન્યું , અને ડેરીના જનરલ મેનેજરોની ડેરી પ્રોડક્ટસ માટે પ્રોગ્રામ કમિટી બનાવી સમગ્ર ગુજરાતનાં મોટાં શહેરો અને સ્થાનિક ડેરીના પોતાના વિસ્તારની છત અને અછતના સમયમાં દૂધની આવક જાવક લખવાનું કાર્ય સીધા દૂધ વેચાણ અને તેની આડપેદાશના ઉત્પાદનના કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા . ફેડરેશનની આવી સુંદર વ્યવસ્થાથી છતના સમયમાં બધા જિલ્લાઓના પ્લાન્ટોનું Li દૂધ સ્વીકારી શકાયું અને અછતના સમયમાં ફલ્યુઈડ ડેરીઓ પોતાનાં શહેરોની જરૂરિયાતોને સંતોષકારક રીતે દૂધ પૂરું પાડી શકાયું . આમ ગુજરાતમાં મિલ્ક ગ્રીડની યોજનાને વ્યવસ્થિત ગોઠવી શકાઈ . સુરત , બરોડા , અમદાવાદ , મુંબઈ , દિલ્હી વગેરે મોટાં શહેરોમાં દૂધની જરૂરિયાતને પહોંચી વળવા મિલ્ક ગ્રીડ યોજના દ્વારા પુરવઠો પહોંચાડવાની અનુકૂળતા થઈ . વળી પ્રોગ્રામ કમિટીએ નક્કી કરેલ ઉત્પાદન નીતિ પ્રમાણે અમદાવાદ , આણંદ , દિલ્હી , મુંબઈ , મદ્રાસ અને કલકત્તા જેવાં મોટાં શહેરોમાં સારાયે ભારતને આવરી શકાય તે માટે વેચાણ ઓફિસે ફેડરેશનના નામે ખોલવામાં આવી અને અમૂલ અને સાગર બ્રાન્ડથી વેચાણ વ્યવસ્થા સારી રીતે ગોઠવાઈ ગઈ છે . માર્કેટિંગ ફેડરેશનના પાંચ વર્ષના કામકાજના ગાળામાં તેના વેચાણના આંકડો કમશ : વધારતાં છેવટે સને ૧૯૭૮ માં આશરે ૯૦ કરોડના વાર્ષિક વેચાણ ઉપર પહોંચી શકાય છે અને સંયોજિત છ ડેરીઓની સરેરાશ દૂધની આવક આશરે ૨૦ લાખ લિટર દૂધ સુધી પહોંચી છે . આ આંકડા ઉપરથી તેની વિશાળ વેચાણ - વ્યવસ્થાને ખ્યાલ આવી શકશે . ગુજરાતના પગલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના નેજા હેઠળ સમગ્ર ભારતનાં અન્ય રાજ્યોમાં ડેરી વિકાસને કાર્યક્રમ આગેકદમ કરી રહ્યો છે , એટલે પ્રતિ વર્ષ વધુ ને વધુ ડેરીઓ ભારતના નકશા ઉપર અંકિત થશે , તે સમયે દૂધની પેદાશના બજારમાં હરીફાઈ થવાના સંજોગો ઊભા થશે . ફેડરેશનના સંચાલકો આગામી વર્ષમાં આવનાર આવી પરિસ્થિતિથી જાગૃત રહી તેમની વેચાણ - વ્યવસ્થાની પાંખો સમગ્ર ભારતનાં મોટાં શહેરામાં નાંખી તેને સુવ્યવસ્થિત કરવા માટે જાગ્રત રહ્યા છે .
દરેક ડરીને પોતાના વિસ્તારમાં વેચાણ છૂટ
ફેડરેશને તેની સંયોજિત થયેલ ડેરીના પોતાના કાર્યક્ષેત્રમાં પોતાના દૂધમાંથી દૂધ , ઘી - શીખંડ વગેરે વેચવાની છૂટ આપવાથી દરેક ડેરી પોતાના જિલ્લામાં લોકોની જરૂરિયાતોને સંતોષી શકે છે અને વધારાનું દૂધ ફેડરેશનને દૂધની બનાવટો માટે મોકલે છે . આ નીતિથી જિલ્લાની ડેરીઓ સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ કરતી રહી છે , અને તેને મુશ્કેલી પડે તેવા પ્રશ્નોમાં ફેડરેશનનો સહકાર અને માર્ગદર્શન મેળવી તેનો નિકાલ કરી શકે છે . ડેરીના પશુ આહાર માટેની જરૂરિયાત , પશુ - સંવર્ધન માટે રેતસું કેન્દ્રો અને સાંઢો અને લીલા ઘાસચારાના , બિયારણો માટે જરૂર જણાય ત્યારે કેન્દ્રીત ખરીદી કરી સંયોજિત ડેરીઓને પૂરી પાડે છે . આ ઉપરાંત વખતોવખત તેના વિસ્તૃતિકરણ અંગે જરૂરી ટેકનિકલ અને નાણાકીય સહાય માટે પણ રાજ્ય યા ભારત તરફથી રાષ્ટ્રીય ડેરી બોર્ડ અને ઈન્ડીયન ડેરી કોર્પોરેશન દ્વારા તેના વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ મદદરૂપ થાય છે . આમ માર્કેટિંગ ફેડરેશન સમગ્ર રાજ્યની ડેરી , પશુપાલન અને સંવર્ધન વિકાસ કાર્યમાં મહત્ત્વને નેધપાત્ર ફાળો આપી રહ્યું છે . ડૉ . કુરિયન જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના કુશળ વહીવટ કર્તા અને તજજ્ઞ ડેરી નિષ્ણાત મળવાથી એક પછી એક સફળતાના શિખરો સર કરતું જાય છે .
Comments
Post a Comment