Posts

Showing posts with the label અમૃતમહોત્સવ સ્મૃતિગ્રંથમાંથી

ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ

સહકારી પ્રવૃત્તિના પ્રારંભને ૭૫ વર્ષ થયાં છે અને તેની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી થઇ રહી છે . તેની સઘળી વિકાસ : પ્રવૃત્તિને બે તબક્કામાં વહેંચી શકાય . પ્રથમ તબક્કો ભારત સ્વતંત્ર થયું તે પહેલાં અને બીજા તબક્કો સ્વતંત્રતા પછીને . પહેલા તબક્કામાં ૪૫ વર્ષના ગાળામાં સને ૧૯૦૪ થી ભારત સરકારે કો ઓ . ક્રેડિટ સોસાયટી એકટ પસાર કરી પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો ગ્રામીણ અને શહેર વિભાગની મંડળીઓને ધિરાણ મળી રહે , તેવી શરાફી મંડળીએ અસ્તિત્વમાં આવી . સને ૧૯૨૫ સુધી પ્રવૃત્તિ ફકત ધિરાણ પૂરતી જ મર્યાદિત રહી . સને ૧૯૨૫ માં મુંબઈ રાજ્યમાં સહકારી મંડળીઓનો કાયદો થયો અને તે પ્રમાણે માત્ર શરાફી મંડળી નહિ ; પરંતુ આર્થિક વિકાસ માટે બિન શરાફી મંડળીઓની પણ રચના - જોગવાઈ થઈ . સને ૧૯૨૫ થી સને ૧૯૪૭ સુધીમાં મુંબઈ રાજ્યમાં સહકારી બેંકે અને શરાફી મંડળી ઓ દ્વારા ધિરાણનું કામ થતું રહ્યું . ઉપરાંત બીજી શરાફી મંડળીઓ જેવી કે ખરીદ વેચાણ સંઘો , કપાસ મંડળીઓ , ગૃહ નિર્માણ મંડળી , વીમા મંડળીઓ , ઉત્પાદક મંડળીઓ વગેરે દ્વારા વિવિધ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ કામ થવા માંડયું , ભારત સ્વતંત્ર થયું તે પછી બીજા તબક્કાના ૩૦ વર્ષમાં સહકારી કાયદામાં ...