Posts

Featured Post

સહકારી ડેટાબેઝ નું મહત્વ

સહકારી ડેટાબેઝનું મહત્વ             ભારત  માં સહકારિતા મંત્રાલય દ્વારા 'સહકારથી સમૃદ્ધિ'નાં લક્ષ ને અનુલક્ષીને  8મી માર્ચ 2024ના રોજ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ સ્વતંત્રતા પછી પ્રથમ વખત સહકારી ડેટાબેઝની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આ પહેલ હેઠળ, સહકાર મંત્રાલયે ભારતના વિશાળ સહકારી ક્ષેત્ર વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે મજબૂત ડેટાબેઝની અનિવાર્ય જરૂરિયાતને માન્યતા આપી છે. રાજ્ય સરકારો, રાષ્ટ્રીય ફેડરેશનો અને હિતધારકો સાથે સહયોગ કરીને, સહકારી-કેન્દ્રિત આર્થિક મોડલને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ વિકસાવવામાં આવ્યો છે. શાહે પુષ્ટિ આપી હતી કે ડેટાબેઝ ભૌગોલિક, ક્ષેત્રીય, સમુદાય અને કાર્યાત્મક અસમાનતાઓને સંબોધવા માટેના સાધનોનો સમાવેશ કરે છે. તેમણે સ્થિતિસ્થાપક સહકારી માળખા માટે પાયો નાખવામાં સંસ્થાઓના સામૂહિક પ્રયાસોને બિરદાવ્યા હતા. કાર્યાત્મક અસમાનતાઓ દુર કરવા માટે તેમણે એક સ્થિતિસ્થાપક સહકારી માળખું સ્થાપિત કર્યું.    ...

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી                 અહી ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા વર્ષો પેહલા પ્રકાશિત થયેલ અમૃત મહોત્સવ સ્મૃતિગ્રંથ નો વાંચન અને અભ્યાસ બાદ તેમાં બિન ખેતી વિષયક ધિરાણ સંસ્થાઓ ,માર્કેટિંગ મંડળીઓ ,રૂપાંતરિત મડળીઓ ,ગ્રાહક સહકારી ભંડારો , ગૃહનિર્માણ મંડળીઓ ,ઓધ્યોગિક સહકારી મંડળીઓ તેમજ સહકારી ડેરી ઉધ્યોગ વગેરે વિષે ગુજરાત રાજ્ય સાથે જોડાયેલ સહકારી માળખાને અનુલક્ષીને દરેકનો ઇતિહાસ અને વિકાસ ના તબક્કાઓ દર્શાવાયા છે પરંતુ આજે જ્યારે વિશ્વફલક પર ભારત દેશ અને તેમાય જ્યારે આપડું ગુજરાત રાજ્ય ડેરી ઉધ્યોગ ક્ષેત્રે પ્રથમ હરોળમાં છે ત્યારે તેના ઇતિહાસ અને વિકાસના તબક્કાઓની રસપ્રદ સન્સ્સ્માર્ણોને , તેઓની અથાગ મેહનતને ,પરિશ્રમને કેવી રીતે ભૂલી શકાય. અહી તેમાથી કેટલાક ડેરી ઉધ્યોગ ની શરૂઆત અને વિકાસના પ્રસંગો દર્શાવાનો પ્રયત્ન કરેલ છે જે આજે આપણને વર્ષો પેહલા નાખેલ બીજ (અમુલ) ની યાદો (મહેનત અને ધ્યેય ) વર્તમાનમાં લાવવાનો પ્રયત્ન કરેલ છે.        ...

ગ્રામ્ય વિકાસ માં સહકારી મંડળીઓનો ફાળો

Image
                                       આપણે ઇતિહાસ માં જોઈગ્યાં કે ભારત નું અર્થતંત્ર ખેતી પર આધારિત છે . ભારત એક ખેતીપ્રધાન દેશ છે. જેમાં લગભગ 60 થી 70 % લોકો (ખેડૂતો ) ખેતી પર નભે છે .પરંતુ આજના આ યુગ માં જૂની પરંપરા અને રૂઢિચુસ્તતા ને ખરેખર બાજુમાં મૂકીને દેશના ખેડૂતોએ પોતાની કૌશલ્યતા અને બુદ્ધિક્ષમતા થી આધુનિકરનના પ્રવાહોને સ્વીકારીને સહકારી પ્રવૃત્તિને વેગ આપેલ છે .                                                                                  We have seen in history that India's economy is based on agriculture.  India is an agricultural country.  In which about 60 to 70% of the people are farmers) but in today's age, the old tradition and conservatism have really been p...

શ્રી વૈકુંઠભાઈ મેહતા -સહકારી પ્રવૃત્તિના ભીષ્મપિતા

Image
                                               સહકારી પ્રવૃતિના ભિષ્મપિતામહ અને ભાવનગરના સપૂત શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઇ મહેતા. શ્રી વૈકુંઠભાઈ મહેતાનો જન્મ સને ૧૮૯૧ ની ૨૬ મી ઓકટોબરના રોજ ભાવનગરના વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો . તેમના પિતાશ્રી સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર રાજયના સંનિષ્ઠ વહીવટકર્તા હતા અને શ્રીમંત કુટુંબના ઉચ્ચ સંસ્કાર , નિતીમત્તા અને લોક કલ્યાણ સાધવાના સદગુણો શ્રી વૈકુંઠભાઈના જીવનમાં સમરસ બન્યા હતા.સહજ રીતે જ તેઓ શ્રી રચનાત્મક કાર્યકર , બેકિંગ તેમજ નાણાકીય બાબતોના નિષ્ણાંત હોવાની સાથે ઉચ્ચ કોટિના વહીવટકર્તા તરીકેની તેઓશ્રીની બહુમુખી પ્રતિભા અને ઉદાર વ્યકિતત્વના કારણે તેઓશ્રી લોકપ્રિયતા મેળવી શક્યા હતા . તે જમાનામાં આટલી શ્રીમંતાઈ બહુ ઓછી વ્યકિતઓ ધરાવતી હતી , છતા તેમની સૌજન્યશીલતા , નમ્રતા અને સાદગી , દ્રઢ મનોબળ , બુદ્ધિની તિક્ષ્ણતા અને કોઈપણ મુદ્દા કે બાબતને કશા પૂર્વગ્રહ – હકારાત્મક કે નકારાત્મકતા સિવાય સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોવાની ...

ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ

સહકારી પ્રવૃત્તિના પ્રારંભને ૭૫ વર્ષ થયાં છે અને તેની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી થઇ રહી છે . તેની સઘળી વિકાસ : પ્રવૃત્તિને બે તબક્કામાં વહેંચી શકાય . પ્રથમ તબક્કો ભારત સ્વતંત્ર થયું તે પહેલાં અને બીજા તબક્કો સ્વતંત્રતા પછીને . પહેલા તબક્કામાં ૪૫ વર્ષના ગાળામાં સને ૧૯૦૪ થી ભારત સરકારે કો ઓ . ક્રેડિટ સોસાયટી એકટ પસાર કરી પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો ગ્રામીણ અને શહેર વિભાગની મંડળીઓને ધિરાણ મળી રહે , તેવી શરાફી મંડળીએ અસ્તિત્વમાં આવી . સને ૧૯૨૫ સુધી પ્રવૃત્તિ ફકત ધિરાણ પૂરતી જ મર્યાદિત રહી . સને ૧૯૨૫ માં મુંબઈ રાજ્યમાં સહકારી મંડળીઓનો કાયદો થયો અને તે પ્રમાણે માત્ર શરાફી મંડળી નહિ ; પરંતુ આર્થિક વિકાસ માટે બિન શરાફી મંડળીઓની પણ રચના - જોગવાઈ થઈ . સને ૧૯૨૫ થી સને ૧૯૪૭ સુધીમાં મુંબઈ રાજ્યમાં સહકારી બેંકે અને શરાફી મંડળી ઓ દ્વારા ધિરાણનું કામ થતું રહ્યું . ઉપરાંત બીજી શરાફી મંડળીઓ જેવી કે ખરીદ વેચાણ સંઘો , કપાસ મંડળીઓ , ગૃહ નિર્માણ મંડળી , વીમા મંડળીઓ , ઉત્પાદક મંડળીઓ વગેરે દ્વારા વિવિધ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ કામ થવા માંડયું , ભારત સ્વતંત્ર થયું તે પછી બીજા તબક્કાના ૩૦ વર્ષમાં સહકારી કાયદામાં ...

પશુપાલન-૨

Image
પશુપાલકોને મૂંઝવતા પ્રશ્ર્નો અને તેનું નિરાકરણ પ્રશ્ન -૧ દુધાળા પશુની ખરીદી કરતી વખતે કઈ - કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?  જવાબ :દુધાળ પશુ શાંત સ્વભાવનું , પહેલા કે બીજા વેતરનું તાજું વિયાયેલું , સુવિકસિત ચુરસ્ત બાવલા વાળું , દુધની નસ લાંબી અને ગૂંચવાળી , દુગ્ધશીરા છેક છાતીનાં ભાગ સુધી પહોચતી હોય તેવું , શરીરે તંદુરસ્ત , કોઇપણ ખોડ ખાંપણ વગરનું , આઉ નાના અને સરખા આંચળવાળું પાછળના ભાગે ઉંચે સુધી જતું હોવું જોઈએ .  પ્રશ્ન -૨ પશુ રહેઠાણમાં પશુઓને કેટલી જગ્યા જોઈએ ?  જવાબ :પશુ રહેઠાણ બનાવતી વખતે પુખ ગાયો માટે ગાય દીઠ ૩.૫ ચો.મી. , ભેંસ દીઠ ચો.મી. , વોડકીઓને ૩.૦ ચો.મી. , વાછરડી દીઠ ૨.૦ ચો.મી. , વિયાણ ઘરમાં ગાય દીઠ ૧૨.૦૦ ચો.મી. , તથા સાંઢ દીઠ ૧૨.૦૦ ચો.મી.જગ્યા ધ્યાનમાં લેવી .   પ્રશ્ન -3 ઘાસચારાને નીરવાની પદ્ધતિ શું છે ?  જવાબ :સુકા - લીલા ઘાસચારાને મિક્ષ કરી ચાફ કટર કે સુડાથી ઝીણા ટુકડા કરી નીરણ કરવું જોઈએ . જેનાથી ખોરાકનો બગાડ અટકે છે . ખોરાકનું સારું પાચન થાય છે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. . પ્રશ્ન -૪ શું વધારે પાણી પીવડાવવાથી પશુઓમાં દૂધ ઉત્પા...

પશુપાલન

Image
પશુપાલકોને મૂંઝવતા પશુપ્રજનનલક્ષી પ્રશ્નો અને તેનું નિરાકરણ   પ્રશ્ન -૧ ગાય / ભેંસ ગરમીમાં આવે છે કે કેમ તે ખબર નથી પડતી ?  જવાબ :ગાયની સરખામણીએ ભેંસમાં ગરમીના ચિન્હો બહુ ઓછા દેખાય છે જો ગરમી વિષે ખ્યાલ ના આવે તો ડોક્ટરની સલાહ લેવી .આવશ્યક છે અને જો ડોક્ટર હાજર ન હોય તો તારીખ નોંધી લેવી અને ફરીથી ૧૯ થી ૨૨ દિવસે લક્ષણો જોવા જેવાકે તેલની ધાર જેવી લાળી કરવી , ભાંભરવું ,બરાડવું , વારંવાર પેશાબ કરવો , યોનીનો ભાગ લાલાશ પડતો દેખાય , પશુ ડબકાય તો બીજદાન કરવું હિતાવહ છે .   પ્રશ્ન -૨ ગાય / ભેંસ ગરમીમાં આવે પછી ક્યારે ગાભણ કરાવીએ ?  જવાબ: ગાય / ભેંસ ૧૮ થી ૨૧ દિવસના અંતરાળ ગરમીમાં આવે છે અને ૨૪ કલાક સુધી ગરમીમાં રહે છે . ગાય / ભેંસને ગરમીના છેલ્લા ૧૨ કલાકમાં ગમે ત્યારે બીજદાન કરાવી શકો છો . એટલે ફે તમે સાંજે ગરમીના ચિન્હો જોયા હોય તો વહેલી સવારે બીજદાન કરાવો અને સવારે ગરમીના લક્ષણો નિહાળ્યા હોય તો સાંજે બીજદાના કરાવી શકો છો . એવીજરીતે ૧૨ કલાકની અંતરાળે બે વાર બીજદાન કરાવવું લાભદાયી છે .  પ્રશ્ન -૩ ગાય / ભેંસને ફેળવ્યા પછી શું કાળજી રાખવી પડે ?   જવાબ:...