પશુપાલન-૨

પશુપાલકોને મૂંઝવતા પ્રશ્ર્નો અને તેનું નિરાકરણ

પ્રશ્ન -૧ દુધાળા પશુની ખરીદી કરતી વખતે કઈ - કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
 જવાબ :દુધાળ પશુ શાંત સ્વભાવનું , પહેલા કે બીજા વેતરનું તાજું વિયાયેલું , સુવિકસિત ચુરસ્ત બાવલા વાળું , દુધની નસ લાંબી અને ગૂંચવાળી , દુગ્ધશીરા છેક છાતીનાં ભાગ સુધી પહોચતી હોય તેવું , શરીરે તંદુરસ્ત , કોઇપણ ખોડ ખાંપણ વગરનું , આઉ નાના અને સરખા આંચળવાળું પાછળના ભાગે ઉંચે સુધી જતું હોવું જોઈએ . 

પ્રશ્ન -૨ પશુ રહેઠાણમાં પશુઓને કેટલી જગ્યા જોઈએ ? 
જવાબ :પશુ રહેઠાણ બનાવતી વખતે પુખ ગાયો માટે ગાય દીઠ ૩.૫ ચો.મી. , ભેંસ દીઠ ચો.મી. , વોડકીઓને ૩.૦ ચો.મી. , વાછરડી દીઠ ૨.૦ ચો.મી. , વિયાણ ઘરમાં ગાય દીઠ ૧૨.૦૦ ચો.મી. , તથા સાંઢ દીઠ ૧૨.૦૦ ચો.મી.જગ્યા ધ્યાનમાં લેવી .

 પ્રશ્ન -3 ઘાસચારાને નીરવાની પદ્ધતિ શું છે ? 
જવાબ :સુકા - લીલા ઘાસચારાને મિક્ષ કરી ચાફ કટર કે સુડાથી ઝીણા ટુકડા કરી નીરણ કરવું જોઈએ . જેનાથી ખોરાકનો બગાડ અટકે છે . ખોરાકનું સારું પાચન થાય છે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે.

. પ્રશ્ન -૪ શું વધારે પાણી પીવડાવવાથી પશુઓમાં દૂધ ઉત્પાદન તધારી શકાય ? 
જવાબ :સામાન્ય રીતે દુઝણી ગાયો / ભેંસોને દરરોજ ૩૫-૪૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે . તે ઉપરાંત દર એક લીટર દૂધ ઉત્પાદને ત્રણ લીટર વધારાના પાણીની જરૂર પડે છે અને ઉનાળામાં ગરમીના કારણે પશુઓને શિયાળા કરતા બમણું પાણી પીવડાવવું જોઈએ . દુધના બંધારણમાં ૮૭ ° . જેટલું પાણી હોય છે . જેથી પશુને વધુ પાણી પીવડાવવું હિતાવહ છે 

. પ્રશ્ન -૫ સાયલેજ શું છે ? 
જવાબ :સાયલેજ એ લીલા ઘાસચારાને હવા રહિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી આથવણ કરીને તૈયાર કરવામાં આવતો ઘાસચારો છે . જે “ લીલા ઘાસચારાના અથાણા ” તરીકે ઓળખાય છે . સામાન્ય રીતે તમામ સંજોગો સાનુકુળ હોય અને હવાચુસ્ત જગ્યામાં સંગ્રહ કરવામાં આવે તો ૪ થી ૫ વર્ષ સુધી સાયલેજને સારી સ્થિતિમાં સાચવી શકાય છે . ઉત્તમ સાયલેજ નો રંગ લીલાશ પડતો પીળો હોય છે . સુગંધ સરકા જેવી , અમ્લતા ૪.૨ થી વધુ ન હોવી જોઈએ . ફૂગ અને દુર્ગધ રહિત હોવો જોઈએ.

પ્રશ્ન -૬ વાછડાને કેટલી ઉમર સુધી દૂધ પીવડાવવું જોઈએ ? જવાબ :વાછરડા - પાડીને ૬-૮ અઠવાડીયા સુધી સવાર - સાંજ વજનના ૧૦. પ્રમાણે દૂધ પીવડાવવું જોઈએ . ત્યારબાદ દૂધનું પ્રમાણ ઘટાડતા જઈ ૩-૪ મહિના પછી બંધ કરી દેવું જોઈએ . 

પ્રશ્ન -૭ દુધાળા પશુને કેટલો દૈનિક આહાર આપવો જોઈએ ? જવાબ: દુધાળા પશુને ૪-૫ કિ.ગ્રા . લીલો કઠોળ વર્ગનો ચારો , ૭-૮ કિ.ગ્રા.ધાન્ય વર્ગનો ચારો પ્રત્યેક કિ.ગ્રા દૂધ ઉત્પાદન દીઠ ૫૦૦ ગ્રામ દાણ અને વધારાનું ૨ કિ.ગ્રા સમતોલ દાણ શરીરનિભાવ માટે તથા ખાઈ શકે તેટલો સુકોચારો એટલે કે ૬-૯ કિ.ગ્રા જેટલો આપવો જોઈએ .

 પ્રશ્ન -૮ વસુકેલ પશુને કેટલો આહાર આપવો જોઈએ ? જવાબ :વસુકેલ ગાય / ભેંસને શરીર નિભાવ માટે ૧-૧.૫ કિ.ગ્રા સમતોલા દાણ , ૩ કિ.ગ્રા . કઠોળ વર્ગનો લીલોચારો , ૧૦ કિ.ગ્રા ધાન્ય વર્ગનો લીલોચારો તથા ખાઈ શકે તેટલો સુકો ચારો ( ૫ થી ૭ કી.ગ્રા . ) જેમાં સુકું ઘાસ , કડબ , ગોતર , પરાળ કે પૂળા આપી શકાય .

પ્રશ્ન -૯ ગાભણ ગાય / ભેંસને કેટલો દૈનિક આહાર આપવો જોઈએ ? 
જવાબ : ગાભણ ગાય / ભેંસને વસુકેલ પશુના આહાર પ્રમાણેનો આહાર આપવો જોઈએ . આ ઉપરાંત ગાભણ પશુને છેલ્લા ત્રણ મહિના દરમ્યાન બચ્ચાના વિકાસ માટે વધારાનું દાણ આપવું જોઈએ . દાણનું પ્રમાણ ૫૦૦ ગ્રામથી શરૂ કરીને દર પંદર દિવસે ૫૦૦ ગ્રામ વધારીને છેલ્લા દિવસોમાં ( વિયાણ સમયે ) પશુ ૩-૪ કિ.ગ્રા . જેટલું દાણ ખાઈ શકે તેવું આયોજન કરવું . આ પદ્ધતિને સ્ટીમીંગ અપ પદ્ધતિ કહે છે . જેનાથી પશુ વિયાણ સરળતાથી તથા બચ્ચું તંદુરસ્ત જન્મે છે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે . 

પ્રશ્ન -૧૦ ઉનાળામાં ઘાસની તંગીને પહોચી વળવા શું કરવું જોઈએ ? 
જવાબ :ઉનાળામાં પાણીની અછત તથા વાતાવરણમાં ગરમીના ઉંચા પ્રમાણ ને લીધે લીલા ઘાસચારાની તંગી વર્તાય છે . મોટા પશુપાલકોએ ભેંસોને બારેમાસ પુરતો લીલો ઘાસચારો મળી રહી તે માટે યોગ્ય પાક યોજના બનાવવી અને તેનો અમલ કરવો જોઈએ . ચોમાસામાં વધારાના લીલાચારાનું સાઈલેજ બનાવવું જોઈએ જેથી ઉનાળા દરમ્યાન પશુ માટે ઉપયોગમાં લઈ શકાય . આ ઉપરાંત “ યુરિયા - મોલાસીસ મીનરલ ” ના ચોસલા ખવરાવી શકાય . ઉનાળામાં મોડી સાંજે કે વહેલી સવારે ભેંસોને લીલાચારાની નીરણ કરવું જોઈએ . 


 ડો . એમ . બી . રાજપૂત / ડો . પી . એચ . વાટલીયા 
પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી , કામધેનુ યુનિવર્સિટી , કર્મયોગી ભવન , બ્લોક -૧ , ૪ થો માળ , વીંગ - બી ૧ , સેક્ટર - ૧૦ - એ , ગાંધીનગર -૩૮૨૦૧૦

Comments

Popular posts from this blog

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી

ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ