શ્રી વૈકુંઠભાઈ મેહતા -સહકારી પ્રવૃત્તિના ભીષ્મપિતા
સહકારી પ્રવૃતિના ભિષ્મપિતામહ અને ભાવનગરના સપૂત શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઇ મહેતા. શ્રી વૈકુંઠભાઈ મહેતાનો જન્મ સને ૧૮૯૧ ની ૨૬ મી ઓકટોબરના રોજ ભાવનગરના વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો . તેમના પિતાશ્રી સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર રાજયના સંનિષ્ઠ વહીવટકર્તા હતા અને શ્રીમંત કુટુંબના ઉચ્ચ સંસ્કાર , નિતીમત્તા અને લોક કલ્યાણ સાધવાના સદગુણો શ્રી વૈકુંઠભાઈના જીવનમાં સમરસ બન્યા હતા.સહજ રીતે જ તેઓ શ્રી રચનાત્મક કાર્યકર , બેકિંગ તેમજ નાણાકીય બાબતોના નિષ્ણાંત હોવાની સાથે ઉચ્ચ કોટિના વહીવટકર્તા તરીકેની તેઓશ્રીની બહુમુખી પ્રતિભા અને ઉદાર વ્યકિતત્વના કારણે તેઓશ્રી લોકપ્રિયતા મેળવી શક્યા હતા . તે જમાનામાં આટલી શ્રીમંતાઈ બહુ ઓછી વ્યકિતઓ ધરાવતી હતી , છતા તેમની સૌજન્યશીલતા , નમ્રતા અને સાદગી , દ્રઢ મનોબળ , બુદ્ધિની તિક્ષ્ણતા અને કોઈપણ મુદ્દા કે બાબતને કશા પૂર્વગ્રહ – હકારાત્મક કે નકારાત્મકતા સિવાય સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોવાની રીત અનન્ય હતી .
શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાના સેવા વ્યાપની વિશાળતાના કારણે તેઓશ્રીએ સહકારી ક્ષેત્ર , ગ્રામોધોગ જેવા રચનાત્મક પ્રજા - હિતલક્ષી ક્ષેત્રો પરત્વે તેઓશ્રી ઉડો રસ લઈ ધગશપૂર્વક કાર્યભાર સંભાળતા હતા . અનેકવિધ કમિટિઓના અધ્યક્ષ તરીકે કે પછી સભ્ય તરીકે તેઓએ જે યોગદાન અર્પિત કરેલ છે તે ચિરસ્મરણીય બની રહેશે . બૃહદ મુંબઈ રાજયમાં જુદા - જુદા હોદ્દાઓની જવાબદારી સંભાળી સહકારી ક્ષેત્રને શ્રી વૈકુંઠભાઈ મહેતાના માર્ગદર્શન , સલાહ - સૂચનો અને દિર્ઘ દ્રષ્ટિનો લાભ પ્રાપ્ત થયો હતો , ખાસ કરીને સહકાર , ખાદી અને ગ્રામોધોગ , સમાજ સેવાના રચનાત્મક કાર્યોમાં તેઓની દિલચસ્પી દ્રષ્ટાંત રૂપ હતી . ગુજરાતના સપૂત અને સહકારી ક્ષેત્રના વિકાસના ઉદ્દગાતા એવા સ્વર્ગસ્થ શ્રી વૈકુંઠભાઈ મહેતાની સેવાઓને ચિરસ્મરણીય બનાવી કૃતજ્ઞતા વ્યકત કરવા માટે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના સહકારી કાર્યકર હંમેશા ચિંતન કરતા હતા . આ ચિંતનના ફલ : સ્વરૂપે તેઓશ્રીના આદર્શોને મૂર્તિમંત કરવાના ઉદ્દેશથી અધતન સુવિધા સાથેના સહકારી શિક્ષણ , તાલીમ અને સહકારી નેતાઓના ઘડતર માટેની સહકારી સંસ્થા ભાવનગરમાં ઉભી કરી તેઓશ્રીના સેવા કાર્યો સાથે સાંકળી " શ્રી વૈકુંઠભાઈ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર " ભાવનગર મુકામે નિર્મિત કરવામાં આવે તે માટેના રોપાયેલા બિજાંકુર આજે ભાવનગરના નારી ગામના સ્થળે પાંગરી વિશાળ સહકારી શિક્ષણ સંકુલ સ્વરૂપે નિર્મિત બન્યું છે . જેની સાથે સ્વર્ગસ્થ શ્રી વૈકુંઠભાઈ મહેતાની સેવાઓને સાંકળી લઈ આ સહકારી વિદ્યા સંકુલને ' ' શ્રી વૈકુંઠભાઈ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર - નારી " એ નામાભિધાન આપી ગુજરાત રાજય સહકારી સંઘ , અમદાવાદ ગુજરાતની સહકારી પ્રવૃતિ , સહકારી આગેવાનો કાર્યકરો , સહકારી સેવકો વતી નમ્રતાના ભાવે કૃતજ્ઞતા વ્યકત કરી સહકારી આદર્શના ધ્રુવ તારક તરીકે સ્વર્ગસ્થ શ્રી વૈકુંઠભાઈ મહેતાની સેવાઓ અને તેમના સદ્ગુણોને હમેશાં નજર સમક્ષ રાખી રાજયની સહકારી પ્રવૃતિમાં વિવિધ ક્ષેત્રોને વધુ લોકાભિમુખ અને સભાસદ હિતલક્ષી બનાવી તેઓશ્રીના આદર્શોને ચરિતાર્થ કરશે તેવી અનન્ય શ્રદ્ધા છે.
ભારતની સહકારી પ્રવૃતિના ભિષ્મપિતામહ અને ગુજરાતના ભાવનગર શહેરના પનોતા પુત્ર સ્વર્ગસ્થ શ્રી વૈકુંઠભાઈ મહેતાની સહકારી ક્ષેત્રની યશસ્વી સેવાઓ પરત્વે કૃતજ્ઞતા વ્યકત કરવાના ઉદ્દેશને કેન્દ્ર સ્થાને રાખી ગુજરાત રાજય સહકારી સંઘહ અમદાવાદ દ્વારા ભાવનગર જિલ્લાના નારી ગામે " શ્રી વૈકુંઠભાઈ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર " સંકુલના નિર્માણ માટે ૧૧,૬૦૦ ચોરસ મીટર જમીન ખરીદવામાં આવેલ છે . આ જમીન ઉપર અદ્યતન શક્ષણિક સુવિધાઓ સાથે આ સહકારી શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે . ભારતમાં સહકારી સંસ્થાઓ અને સહકારી ખાતાના જુનિયર કક્ષાના કર્મચારીઓને વિધિસર તાલીમ આપવા માટે કુલ ૧૧૦ સહકારી વ્યવસ્થાપન કેન્દ્રો કાર્યરત છે . જે પૈકી ૬ સહકારી વ્યવસ્થાપન કેન્દ્રો : ( ૧ ) શ્રી દયાળજીભાઈ ગો . પટેલ સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર , સૂરત . ( ૨ ) શ્રી છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર , નડિયાદ , જિ . ખેડા . ( ૩ ) ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર , મહેસાણા . ( ૪ ) શ્રી વૈકુંઠભાઈ મેહતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર , ભાવનગર . ( ૫ ) ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર , રાજકોટ અને ( ૬ ) ગુજરાત સહકારી વ્યવસ્તથાપન કેન્દ્ર , અમદાવાદ . ગુજરાતમાં કાર્યરત છે . આ કેન્દ્રો પૈકી સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર ભાવનગર ખૂબ જ અગવડતાભરી સ્થિતીમાં કામ કરી રહેલ હતું . રાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાં સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ સ્વર્ગસ્થ શ્રી વૈકુંઠભાઈ મહેતાની સહકારી ક્ષેત્રની સેવાઓની કાયમી સ્મૃતિ રૂપ મહારાષ્ટ્રના પૂના શહેરમાં " વૈકુંઠ મહેતા નેશનલ ઈન્સ્ટિીટયુટ ઓફ કો - ઓપરેટિવ મેનેજમેન્ટ , પૂના " નું નિર્માણ કરવામાં આવેલ છે . રાજય સ્તરે સ્વર્ગસ્થ શ્રી વૈકુંઠભાઈ મહેતાની જન્મભૂમિમાં " શ્રી વૈકુંઠભાઈ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર , નારી , જિ . ભાવનગર " નું નિર્માણ કરી તેઓશ્રી પરત્વે કૃતજ્ઞતા વ્યકત કરવામાં ગુજરાતની સહકારી પ્રવૃતિ કૃતાર્થતા અનુભવે છે .
Comments
Post a Comment