પશુપાલન-૨

પશુપાલકોને મૂંઝવતા પ્રશ્ર્નો અને તેનું નિરાકરણ પ્રશ્ન -૧ દુધાળા પશુની ખરીદી કરતી વખતે કઈ - કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ? જવાબ :દુધાળ પશુ શાંત સ્વભાવનું , પહેલા કે બીજા વેતરનું તાજું વિયાયેલું , સુવિકસિત ચુરસ્ત બાવલા વાળું , દુધની નસ લાંબી અને ગૂંચવાળી , દુગ્ધશીરા છેક છાતીનાં ભાગ સુધી પહોચતી હોય તેવું , શરીરે તંદુરસ્ત , કોઇપણ ખોડ ખાંપણ વગરનું , આઉ નાના અને સરખા આંચળવાળું પાછળના ભાગે ઉંચે સુધી જતું હોવું જોઈએ . પ્રશ્ન -૨ પશુ રહેઠાણમાં પશુઓને કેટલી જગ્યા જોઈએ ? જવાબ :પશુ રહેઠાણ બનાવતી વખતે પુખ ગાયો માટે ગાય દીઠ ૩.૫ ચો.મી. , ભેંસ દીઠ ચો.મી. , વોડકીઓને ૩.૦ ચો.મી. , વાછરડી દીઠ ૨.૦ ચો.મી. , વિયાણ ઘરમાં ગાય દીઠ ૧૨.૦૦ ચો.મી. , તથા સાંઢ દીઠ ૧૨.૦૦ ચો.મી.જગ્યા ધ્યાનમાં લેવી . પ્રશ્ન -3 ઘાસચારાને નીરવાની પદ્ધતિ શું છે ? જવાબ :સુકા - લીલા ઘાસચારાને મિક્ષ કરી ચાફ કટર કે સુડાથી ઝીણા ટુકડા કરી નીરણ કરવું જોઈએ . જેનાથી ખોરાકનો બગાડ અટકે છે . ખોરાકનું સારું પાચન થાય છે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. . પ્રશ્ન -૪ શું વધારે પાણી પીવડાવવાથી પશુઓમાં દૂધ ઉત્પા...